WhatsApp Image 2020 09 28 at 1.20.29 PM

જામનગરમાં વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું

જામનગરમાં વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખ દ્વારા કચ્છના રાપર અને ઉત્તર પ્રદેશની ઘટનાને લઈને રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૮ સપ્ટેમ્બર: જામનગરમાં વાલ્મિકી મધ્યસ્થ યુવા પાંખ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા અનુસૂચિત સમાજ ઉપરના અત્યાચાર બાબતે વિરોધ પ્રદર્શિત કરવા માટે તેમજ ઉત્તર પ્રદેશમાં વાલ્મિકી સમાજની યુવતી પર દુષ્કર્મ આચરી ગંભીર સ્વરૂપે ઘાયલ કરી દેવા અંગેના બનાવને લઇને લાલ બંગલા સર્કલથી જિલ્લા કલેકટર કચેરી સુધીની એક રેલી યોજવામાં આવી હતી, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે.

loading…

કચ્છના રાપર ગામમાં એડવોકેટ ની હત્યા નીપજાવનારા આરોપીઓને તેમજ ઉત્તર પ્રદેશની વાલ્મિકી સમાજની દીકરી ના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે વિસ્તૃત આવેદન પત્ર જામનગરના જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ સુપ્રત કર્યું હતું. આ રેલીમાં જામનગર વાલ્મીકિ મધ્યસ્થ યુવા પાંખના અનેક હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાયા હતા.