આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે :- શ્રી વિજયભાઇ રૂપાણી
૩૧ ઓગસ્ટ,મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી, ભારતરત્ન શ્રી પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાન અંગે ઊડાં શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીને મૃદુભાષી, સૌને સન્માન આપનારા અને પક્ષીય રાજકારણથી પર રહેલા વ્યકિતત્વ ગણાવતા ઉમેર્યુ છે કે તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી રાષ્ટ્રને ન પૂરાય તેવી ખોટ પડી છે તેમ જણાવી સદ્દગતના આત્માની પરમશાંતિ માટે ઇશ્વર પ્રાર્થના કરી છે.
10538ed3abec1d3a28e314f2ec220c4a
10538ed3abec1d3a28e314f2ec220c4a