Karan Shah Sanjh Samachar

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છે

Karan Shah Sanjh Samachar

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છેઅને તે છે આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી  સાંજ સમાચાર દૈનિકના એક્ઝીક્યુટીવ એડીટર કરણ શાહનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ, ૦૨ ઓક્ટોબર: રાજકોટના સાંધ્ય દૈનિક સાંજ સમાચારના એક્ઝીક્યુટીવ એડીટર કરણભાઈ શાહ કોરોનાની મહામારીના ડરમાંથી રાજકોટવાસીઓને બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ કોઈપણ દેશ – રાજ્યને બાકી નથી રાખ્યું. આ સમયમાં અનેક લોકોમાં ભયનો માહોલ છે, પ્રશ્નો છે. હું માનું છું કે, આ મહામારીનો સામનો કરવા માટે આપણા સૌના હાથમાં જ એક મજબૂત ચાવી છે. કોરોનાથી બચવા માટેનું વેક્સીન આપણા હાથમાં જ છે અને તે છે, આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી.

સરકાર, તંત્ર, ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર અત્યારે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યાં છે. તેવા સમયે આપણે સૌ કોઈએ તેમને મદદરૂપ થઈ શકીએ, એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં આપણે સૌ એક ભાગ ભજવી શકીએ છીએ. અને તેની આપણે જવાબદારી સ્વિકારવી પડશે.

હાલના સમયમાં લોકો વિચારી રહયાં છે કે કોરોનાનું વેક્સીન કયારે આવશે ? જેઓ કોરોનાના વેકસીનની રાહ જોઈ રહયાં છે. તેમને માટે મારૂં મંતવ્ય છે કે, આપણા સૌ પાસે આપણા હાથમાં જ તેનું એક વેક્સીન છે, અને તે છે આપણું માસ્ક, સેનીટાઈઝર અને સોશ્યલ ડીસ્ટન્સ. જો આ ત્રણ વસ્તુ યોગ્ય રીતે કરીશું તો હાલના તબક્કે એ આપણું વેક્સીન બની કોરોનાથી આપણને બચાવશે.

loading…

કોરોનાના આ સમયમાં પણ હજુ આપણે બીનજરૂરી ઘરની બહાર જઈએ છીએ, ટોળામાં ઉભા રહીએ છીએ, જે યોગ્ય નથી. સરકારે આર્થિક વેગ મળે તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ આપણે તેને અનુસરતા નથી. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે, તેની ચેઈન તોડવા માટે આ માર્ગદર્શિકા અને તે પ્રમાણેની સામાજિક દૂરી, માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ બહું જ જરૂરી છે.

કોરોના કરતાં પણ ઘણા લોકોને સાઈકોલોજીકલી ઘણા વિચારો આવે છે, ભય છે. કોરોના કરતાં પણ તેનો ભય વધુ ખરાબ છે. તેથી જો આપણે કોરોનાને માનસીક રીતે હરાવશું, તેના ભયને મનમાંથી કાઢી નાખીશું તો આપણને કશું જ નહી થાય. તેમ છતાં પણ જો શરદી, તાવ કે ખાંસી જેવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તુરત જ ટેસ્ટ કરાવવો. ટેસ્ટ કરાવવાથી દૂર ન ભાગીએ. જો કોરોના થયો હશે તો તેની સારવાર પણ છે. રાજકોટમાં સારામાં સારા ડોકટર્સ છે. ૨૪ જેટલી ખાનગી હોસ્પિટલ અને સીવીલ હોસ્પિટલ તથા સમરસ હોસ્ટેલમાં બધી જ સગવડતાઓ છે. બધુ જ અત્યારે ઉપલબ્ધ છે. તેથી કોરોનાથી દૂર ન ભાગો, પ્રાથમિક લક્ષણો દેખાય તો તુર્ત જ ડોકટર્સને બતાવો.

કોરોનાને આપણે હરાવવો જ છે. કોરોનાથી ડરશો નહી તેનો સામનો કરશો તો આપણે તેની સામે બહું ઝડપથી જીતી શકીશું. અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’