પ્રધાનમંત્રી 19 ડિસેમ્બરે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કરશે
by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ડિસેમ્બરે સવારે 10:30 વાગ્યે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્ય સંબોધન કરશે. પ્રધાનમંત્રી‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ સેન્ચ્યુરી એવોર્ડ’ પણ શ્રી રતન ટાટાને એનાયત કરશે, જે ટાટા જૂથ વતી આ એવોર્ડ સ્વીકારશે
એસોચેમ વિશે
એસોચેમની સ્થાપના 1920માં ભારતના તમામ પ્રદેશોના પ્રમોટર ચેમ્બરો દ્વારા કરવામાં આવી હતી. જેમાં 400થી વધુ ચેમ્બર્સ અને ટ્રેડ એસોસિએશનનો સમાવેશ થાય છે અને તે ભારત ભરમાં 4.5 લાખ સભ્યોને સેવા આપનારી એસોચેમ ભારતીય ઉદ્યોગ માટે જ્ઞાનનો મુખ્ય આધાર બની છે