જામનગરની ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલમાં આગ થી લોકોમાં નાસભાગ મચી જવા પામી
રિપોર્ટ:જગત રાવલ
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરમાં આવેલી સરકારી હોસ્પિટલ શ્રી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં આજે બોપરે અચાનક આગ ફાટી નીકળી હતી
ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના જૂના બિલ્ડિંગ માં આવેલા આઇસીયુ યુનિટ માં આગ ફાટી નીકળતા દર્દીઓમાં અને હોસ્પિટલમાં હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી હોસ્પિટલ ના કર્મચારીઓ દ્વારા આગ ની ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાના બે ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઈટર તેમ જ ફાયર કર્મીઓ દ્વારા icc યુનિટમાં આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી icc યુનિટ માં શોર્ટસર્કિટના કારણે આગ થયા હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા રજૂ કરાયું છે
આગની ઘટનાની જાણ થતાં જ જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા કલેકટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલ સહિતના અધિકારીઓ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ દોડી ગયા હતા
આગની ઘટના અંગે ઉત્તરીય તપાસ પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે સદ્નસીબે આગના કારણે કોઇ પ્રકારની જાનહાની થવા પામી નથી પરંતુ icc યુનિટમાં એરકન્ડીશન તેમજ દર્દીઓની સારવાર માટેના મશીનો આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા કલેકટર રવિશંકરના જણાવ્યા અનુસાર ગાંધીનગરથી આ અંગે ઉચ્ચ અધિકારીઓ જામનગર આવી અને આગની ઘટનાની સમીક્ષા કરશે.