મુખ્યમંત્રીશ્રી સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ગાંધીનગર, ૧૯ જાન્યુઆરી: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટના ને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી ની લાગણી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રી એ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવી ને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.