મંડળ કાર્યાલય અમદાવાદ ખાતે રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન
અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: અમદાવાદ ડિવિજનના ડીવીજનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાની અધ્યક્ષતામાં મંડળ રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી ઝાએ અમદાવાદ ડિવિજનના ત્રિમાસિક વેબ પત્રિકા રાજભાષા “આશ્રમ સૌરવ” નો “ચોત્રીસમું” અંક બહાર પાડ્યો.
પ્રત્યેક ત્રિમાહીમાં આયોજિત કવિ લેખકોની જન્મજયંતિ ઉજવણીની શ્રેણીમાં સુબ્રહ્મણ્યમ ભારતી જીની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી. આ પ્રસંગે,અપર મંડળ રેલ્વે મેનેજર શ્રી અનંતકુમારે સુબ્રહ્મણ્યમ ભારતી જીના પોટ્રેટને પુષ્પાંજલિ આપી હતી અને પાવર પોઇન્ટ દ્વારા સુબ્રહ્મણ્યમ ભારતી જીના જીવન વિશેની રાજભાષા વિભાગ દ્વારા રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઝાએ ઉપસ્થિત તમામ શાખા અધિકારીઓને વિનંતી કરી કે તેઓની ઑફિસોમાં હિન્દીનો ઉપયોગ વધારવાની જવાબદારી તેમની છે. હિન્દીમાં 100 ટકા કામ કરતા અધિકારીઓ / કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે, કમ્પ્યુટર પર હિન્દીમાં વધુને વધુ શ્રુતલેખન પત્રવ્યવહાર થવો જોઈએ અને રેલ્વે કામદારોને પ્રોત્સાહન આપવું જોઈએ,પોતાની દૈનિક સત્તાવાર કામગીરી હિન્દીમાં સરળ, સીધી, સામાન્ય ભાષાની બોલચાલ માં કરે અને કરાવે.મૂળરૂપે હિન્દીમાં કામ કરો અને તકનીકી શબ્દો દેવનાગરી લિપિમાં લખો. હિન્દીમાં નિપુણ અધિકારીઓ અને કર્મચારીઓએ હિન્દીમાં શત-પ્રતિશત કામ કરવું જોઈએ અને તેમની નિરીક્ષણ નોંધોમાં રાજભાષાના પેરાનો સમાવેશ કરવો જોઈએ. તેમણે વાર્ષિક કાર્યક્રમ વિશે વિગતવાર ચર્ચા કરી અને વધુ કાર્ય રાજભાષા હિન્દીમાં કરવા અને લક્ષ્ય નિર્ધારિત મર્યાદિત ન થવાનું તથા ગૌણ અધિકારીઓ માટેનું ઉદાહરણ બનવાની હાકલ કરી.
તમામ સભ્યોને કહેવામા આવ્યું કે આજના ડિજિટલ યુગમાં, હિન્દીમાં કાર્ય, પ્રચાર અને પ્રસાર માટે કમ્પ્યુટર્સ સરળ અને શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા તેઓએ કમ્પ્યુટર પર યુનિકોડ દ્વારા હિન્દીમાં કાર્ય પ્રદાન / ગતિ આપવા આગ્રહ કરી.
અપર મુખ્ય રાજભાષા અધિકારી અને અપર મંડળ રેલ્વે મેનેજર શ્રી અનંત કુમારે માનનીય સંસદીય રાજભાષા સમિતિની નિરીક્ષણ અંગેના મંડળ રેલ્વે મેનેજર દ્વારા ધ્યાનમાં લીધેલી વિવિધ ચીજો પર વિશેષ ધ્યાન અને કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો અને બેઠકના અંતે દિશા-નિર્દેશન અને આભાર માન્યો હતો. મેમોરેન્ડમ કર્યુ. રાજભાષા અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા ત્રિમાસિક પ્રગતિ અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી પ્રકાશ પટેલે બેઠકનું સફળ સંચાલન કર્યું હતું. દર ત્રિમાહીની જેમ આ પ્રસંગે, હિન્દી નિબંધ સ્પર્ધા, હિન્દી ડિક્ટેશન કોમ્પિટિશન, વીસ હજાર શબ્દોની ડાયરી યોજના અને એમ.ઇ.એન. એવોર્ડ પ્રાપ્ત અધિકારીઓ / કર્મચારીઓને મંડળ રેલ્વે મેનેજર દ્વારા “રાજભાષા રત્ન” રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયો હતો. શ્રી બી.એન.નગર, શ્રી અમિતસિંહ રાઠોડ, શ્રી શૈલેન્દ્ર દેસાઇ અને શ્રી ઉપેન્દ્રકુમાર ગુપ્તા એ કાર્યક્રમની સફળતાનો પાયો રહ્યા.