તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમનાં નટુકાકા (Natukaka) કેન્સર સામેની લડાઈ જીતી માતાજીની બાધા પુરી કરી
તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમનાં નટુકાકા (Natukaka)ઉર્ફે ધનશ્યામ નાયક સ્વસ્થ થઈ અંબાજી પહોચ્યા, કેન્સર સામેની લડાઈ જીતી માતાજીની બાધા પુરી કરી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૩ માર્ચ: તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમનાં નટુકાકા (Natukaka) ઉર્ફે ધનશ્યામ નાયક સ્વસ્થ થઈ અંબાજી પહોચ્યા, તેઓ કેન્સર સામેની લડાઈ જીતી આજે માતાજીની બાધા પુરી કરી હતી તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમનાં નટુકાકા એટલે કે ધનશ્યામ નાયક આજે યાત્રાધામ અંબાજી ખાતે પહોચ્યા આવ્યાં હતાં. તેમની કેન્સર ની ગાંઠની સર્જરી બાદ આવ્યાં હતાં. આજે તેઓ અંબાજી પહોચી માં અંબાના દર્શને પહોચ્યા હતા
જ્યા સૌ પ્રથમ મંદિર ના વહીવટદાર ની શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યાર બાદ માં અંબાના દર્શને પહોચ્યા હતા ને પુજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજી ની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા ને ત્યાર બાદ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી
અંબાજી પહોચેલા નટુકાકા (Natukaka)ઉર્ફે ધનશ્યામ નાયક એ જણાવ્યુ હતુ ક્ પોતાને કેન્સર ના રોગ માંથી મુક્તિ મળતા તેઓ પોતાની રાખેલી બાધા પુરી કરવા આજે અંબાજી દર્શને આવ્યા છે એટલુજ નહી કોરોના કાળમાં નટુકાકાએ લોકોને કોરોનામાં ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું હતું
એટલું જ નહીં તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે રસી લેવા લોકોને અનુરોધ કર્યો હતો. જોઈએ જેનાથી ચોકક્સ પણે કોરોના ને દેશ માંથી હાંકી કાઢવામાં આ મદદરુપ બની શકાશે
આ પણ વાંચો…16 માર્ચ થી અમદાવાદ – પુણે (Ahmedabad – Pune) દુરંતો સ્પેશ્યલ ચાલશે