કોરોના કાળ ને લઈ મંડપ લાઈટ (Mandap Light) ડેકોરેશન માં કામ કરતા હજારો મજૂરો બેકાર બની ગયા
બનાસકાંઠા જિલ્લા મંડપ લાઈટ (Mandap Light) અને સાઉન્ડ એસોસિયેશન ની બેઠક અંબાજી ખાતે મળી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૦ માર્ચ: Mandap light : ભારત દેશ માં કોરોના મહામારી ની એક વર્ષ થઇ ગયું છે જેને લઈ લોકો ના જનજીવન ઉપર ખુબ મોટી અસર જોવા મળી છે નાના મોટા વેપારીઓ અનેક વિવિધ પ્રકાર ના વેપાર ધંધા કરી પોતાનો ગુજરાન ચાલવી લીધું પણ આ કોરોના ની અસર લગ્ન જેવા પ્રંસગો ઉપર પડતા મંડપ લાઈટ અને ડેકોરેસન ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપર ખુબ મોટી અસર પડી છે
- ભારત દેશ માં કોરોના મહામારી ની એક વર્ષ થઇ ગયું
- કોરોના કાળ ને લઈ મંડપ લાઈટ ડેકોરેશન માં કામ કરતા હજારો મજૂરો બેકાર બની ગયા
કોરોના કાળ ને લઈ મોટા વેપારીઓ તો ઠીક પણ મંડપ લાઈટ (Mandap Light) ડેકોરેશન માં કામ કરતા હજારો મજૂરો બેકાર બની ગયા છે ને હવે પાછું આ વ્યવસાય માં બેઠું થવા માટે બનાસકાંઠા જિલ્લા મંડપ લાઈટ અને સાઉન્ડ એસોસિયેશન ની એક બેઠક યાત્રાધામ અંબાજી ખાતે મળી હતી
એસોસિયેશન ના પ્રદેશ પ્રમુખ જગદીશ પરમાર દ્વારા દીપ પ્રગટાવી બેઠક ની શરૂઆત કરવામાં આવી. લાઈટ મંડપ ના વેપાર ફરી બેઠા થવાની આશા ઉપર ફરી એક વાર પાણી ફરી વળે તેવા સંકેતો મંડપ એસોસિયેશન(Mandap Light) ના પ્રદેશ પ્રમુખ જગદીશ પરમાર દ્વારા દીપ પ્રગટાવી બેઠક ની શરૂઆત કરવામાં આવી હતી જોકે હાલ માં કોરોના ગાઈડલાઈન ને લઈ સોશ્યિલ ડિસ્ટન્સ ને માસ્ક સાથે યોજાયેલી આ બેઠક માં સંખ્યા પણ ઓછી જોવા મળી હતી ખાસ કરીને કોરોના મહામારી ને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે લાઈટ મંડપ ના વેપાર જે મૃતપાયે થઇ પડ્યા છે જે ફરી બેઠા થવાની આશા ઉપર ફરી એક વાર પાણી ફરી વળે તેવા સંકેતો જોવા મળ્યા છે.
છેલ્લા એક વર્ષ થી લગ્ન ની સીઝન ફેઈલ જતા વેપારીઓ માં ભારે નિરાશા જોવા મળી
સરકાર લગ્ન જેવા પ્રંસગો માટે નિયમો બનાવી લાઈટ મંડપ (Mandap Light)ના વેપાર નો એક તક આપવા માંગ કરાઈ હાલ માં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે નિરાશા ની ઉબરે થી લાઈટ મંડપ ના વેપારીઓ સરકાર ઉપર મિટ માડ઼ી ને બેઠા છે ને છેલ્લા એક વર્ષ થી લગ્ન ની સીઝન ફેઈલ જતા વેપારીઓ માં ભારે નિરાશા જોવા મળી રહી છે તેવા સમયે સરકાર લગ્ન જેવા પ્રંસગો માટે નિયમો બનાવી લાઈટ મંડપ ના વેપાર નો એક તક આપવા માંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ ,મંડપ લાઈટ ડેકોરેશન એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઈ પરમાર દ્વારા કરાઈ છે
આ પ્રસંગે પ્રસંગોપાત ની સ્મર્ણિકા પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું ને આ બેઠકમાં બનાસકાંઠા જીલ્લા પમુખ સંજય શાહ, મહામંત્રી હિરાલાલ પંડ્યા,ભીખાભાઈ પ્રદેશ ખજાનચી, પ્રદેશ મહામત્રી રાજુભાઈ અમીન ઉપસ્તિત રહ્યા હતા.