સ.સં. ૧૬૦૪ yusuf dal

કોરોનાથી ડર્યા વિના આપણે તેનો સામનો કરીએ ગેબનશાહ પીર દરગાહના પ્રમુખ યુસફભાઈ દલનો પ્રેરક સંદેશ

સ.સં. ૧૬૦૪ yusuf dal

અહેવાલ: હેતલ દવે, રાજકોટ

રાજકોટ,૨૫સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંક્રમણથી ડર્યા વિના તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટની ગેબનશાહ પીર દરગાહના પ્રમુખશ્રી યુસુફભાઈ દલ કહે છે કે, કોરોના કોઈ એવી બીમારી નથી કે તેની સામે લડી ન શકાય. આ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ, જો બહાર જવું જ પડે તેમ હોય તો આપણાં મોઢે માસ્ક અવશ્ય બાંધીએ, જો શરદી – ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવીએ.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારી સામે આપણે સૌએ જરૂરી તકેદારી રાખીને લડવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બહુ જલદી આ મહામારી સામે જીતી જઈશુ, અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’