ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

Train 1 edited

અમદાવાદ, ૧૧ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા ખંડ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.

જેની વિગતો નીચે મુજબ છે: –

  1. 11.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 02917 અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – રેવારી થઈને ચાલશે.
  2. 11.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટણા સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર થઈને ચાલશે.
  3. 11.11.2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટણા સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર થઈને ચાલશે.
  4. 11.11.2020 ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 02948 પટણા – અમદાવાદ સ્પેશિયલ ભરતપુર – જયપુર – સવાઈ માધોપુરથી થઈને ચાલશે.
whatsapp banner 1