જામનગરની એકમાત્ર હવાઈ મુસાફરી થશે બંધ જાણો શું છે કારણ…
રિપોર્ટ:જગત રાવલ
જામનગરને અન્ય રાજયો સાથે જોડતી એકમાત્ર હવાઈ સેવા એર ઇન્ડિયાની ફ્લાઇટ જામનગર થી મુંબઈ અને મુંબઈ થી જામનગર તરફ કાર્યરત છે કોરોના બાદ થોડા સમય માટે શરૂ થયેલી આ હવાઈ મુસાફરીમાં મુસાફરોની સંખ્યા ઓછી મળતી હોવાના બહાના હેઠળ એર ઇન્ડિયા ઓથોરિટી દ્વારા જામનગરની એક માત્ર હવાઈ મુસાફરી ને પણ આગામી તારીખ 9 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે
એર ઇન્ડિયા ઓથોરિટી દ્વારા લેવાયેલા નિર્ણયના વિરોધમાં જામનગરના ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સંગઠન દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જામનગરના ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ જામનગરમાંથી પૂરતા પ્રમાણમાં મુસાફરો મળી રહે છે અને હવે જ્યારે કોરોના નો કેર ઓછો થઈ રહ્યો છે ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો પણ થનાર છે તો આ એકમાત્ર જામનગર થી મુંબઈ ની હવાઈ મુસાફરી બંધ કરવાનો નિર્ણય આયોગ્ય છે અને એર ઇન્ડિયા ઓથોરીટી આ નિર્ણયને પરત ખેંચે તેવી માંગણી કરવામાં આવી છે.