જામનગરમાં શીતલા સાતમ ની આસ્થાભેર ઉજવણી કરાઈ.
રિપોર્ટ:જગત રાવલ
૧૦ ઓગસ્ટ,છોટીકાશી થી પ્રસિદ્ધ જામનગરમાં આજે શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.
જામ ધર્માદા સેવા સંસ્થા સંચાલિત નાગેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી જેમાં મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવામાં જોવા મળી હતી , મહિલાઓ દ્વારા આજે ફૂલડા અને ટાઢી સાતમની ઉજવણી થઈ રહી છે
કોરોના ના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે શ્રદ્ધાળુઓ દર્શન કરતા જોવા મળી રહ્યા હતા.