જામનગર જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગના બનાવ બાદ તપાસ ટીમ હોસ્પિટલ પોહચી.
રિપોર્ટ:જગત રાવલ
૨૬ ઓગસ્ટ,જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે આઈ.સી.સી.યુ વિભાગ માં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગર થી ખાસ તપાસ માટે પી. આઈ.યુ ની ટિમ જામનગર ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલ પોહચી છે, જેને હોસ્પિટલના આઈ.સી.સી.યુનિટ ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી.