૦૨ જુલાઈના રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૬૮૧ નવા દર્દીઓ નોંધાયા પ૬૩ દર્દીઓ સાજા થયા
આજ રોજ રાજ્યમાં ૬૮૧ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૬૩ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૮,૦૬૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૫૧,૧૨૨ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન ક૨વામાં આવ્યા છે જે પૈકી ૨,૪૮,૦૬૨ વ્યકિતઓ હૉમ ક્વોરેન્ટાઈન છે અને ૩,૦૬૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ કુલ ૬૮ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૭૪૪૨ દર્દીઓ સ્ટેબલ છે.