ગરુડેશ્વર તાલુકા સેવાસદન નું આવતીકાલે થશે ઈ લોકાર્પણ
ગાંધીનગર થી રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી અને. મહેસુલ મંત્રી લોકાર્પણ કરાવશે.
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૮ નવેમ્બર: નર્મદા જિલ્લા ના નવનિર્મિત. ગરુડેશ્વર તાલુકા ની પ્રજા ની સુવિધા માટે. સુવિધા યુક્ત સેવાસદન ના ભવ્ય ભવન નું ઈ. લોકાર્પણ આવતી કાલે ગાંધીનગર થી નાયબ. મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલ. ઈ લોકાર્પણ કરાવશે. વર્ષ 1997 માં નર્મદા જિલ્લા ની રચના બાદ લોકલાગણી ને. માન આપી ભાજપ સરકારે નાંદોદ તાલુકા નું વિભાજન કરી મોડે મોડે પણ લોકો ની માંગણી સ્વીકારી ગરુડેશ્વર તાલુકા ની રચના બાદ પ્રજા ને દિવાળી ની. ભેટ રૂપે તાલુકા સેવા સદન નું આવતી કાલે 19/11 /20 ને ગુરુવાર ના રોજ 11 કલાકે લોકાપર્પણ કરાશે.
કુલ 1073 લાખ થી વધુ ના ખર્ચે 5600 ચો મી જમીન માં જેનું બાંધકામ. થયેલ છે તે સેવાસદન માં મામલતદાર કચેરી ઉપરાંત સબ ટ્રેઝરી. સબ રજિસ્ટ્રાર કચેરી. સહીત ની સેવાઓ ઉપરાંત કોન્ફેરન્સ હોલ વગેરે સુવિધા યુકત આ સેવાસદન માં. તમામ મહેસુલી કામગીરી થશે જેનાથી તાલુકાની પ્રજા માં આનંદ ની. ફેલાઈ છે.