Screenshot 20200625 222256 01

ભાજપાના કાર્યકર્તા માટે સેવા જ ગંતવ્ય અને મંતવ્ય છે, ‘જેની સેવા કરીએ તેનું સુખ જ અમારો સંતોષ:ભરત પંડ્યા

અમદાવાદ, ૦૫ જુલાઇ ૨૦૨૦

સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગઈકાલે યોજાયેલ કેન્દ્રીય ભાજપાના ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ સમગ્ર દેશમાં કુલ ૯૦૭ જિલ્લા અને ૧૩૭૯૬ મંડલમાં ભાજપા સંગઠન દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં જે વિવિધ સેવાકીય કાર્યો થયા તેનું પ્રસ્તુતિકરણ કર્યું હતું.

‘સેવા હી સંગઠન’ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે, કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી તેમજ ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ભાજપાના દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, દિલ્હી, આસામ અને ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના સમયમાં ભાજપાના કાર્યકર્તાઓ અને સંગઠન દ્વારા થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પ્રસ્તુતિકરણ જે તે પ્રદેશના પ્રમુખશ્રી/પદાધિકારીશ્રી દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવ્યું હતું.
-શ્રી ભરત પંડ્યા


કોરોના સંકટમાં ભાજપાના કાર્યકરોએ કરેલી સેવાકીય કામગીરી અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓએ સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મકતા, સદભાવના, અને સંવાદ એમ ‘સેવન-S’ સાથે ખડે પગે રહી જનતાની સેવા કરી છે.

દેશના ભાજપના પ્રત્યેક કાર્યકરને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભાજપાના કાર્યકર્તા માટે સેવા જ ગંતવ્ય અને મંતવ્ય છે, ‘જેની સેવા કરીએ તેનું સુખ જ અમારો સંતોષ’ આ પ્રકારના સમભાવ અને મમભાવથી કાર્યકર્તાઓએ આ કઠિન સમયમાં ‘સેવા હી સંગઠન’ અભિયાન ચલાવ્યું છે.

સમયસર લોકડાઉનનો નિર્ણય, અર્થવ્યવસ્થાને ધમધમતી બનાવવા ૨૦ લાખ કરોડ રૂપિયાનું વિશેષ આર્થિક પેકેજ, કિસાનો, દિવ્યાંગો,ગરીબો, ઉદ્યોગો માટે વિવિધ સહાયો, ૮૦ કરોડ નાગરિકો માટે આઠ મહીનાં વિનામુલ્યે અનાજ વિતરણ,’આત્મનિર્ભર ભારત’ અભિયાન જેવા મહત્વના પગલાં ભરવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, દેશની સરકારોએ પોતાની શક્તિ, સૂઝબૂજ અને સાધનો દ્વારા તેનો સામનો કર્યો છે .તેવા સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્રની ભાજપા સરકારે રાજ્યો સાથે સમન્વય સાધીને કોરોનાની રોકથામ માટે વિવિધ નિર્ણયો કર્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧,૬૧,૧૯,૫૦૦ જેટલા ફૂડ પેકેટ, ૨૨ લાખ થી વધુ પરિવારને રાશન કીટ તેમજ ૬૦ લાખ ૩૨ હજારથી વધુ માસ્કનું ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિતરણ,૨૧,૬૨,૦૦૦ આરોગ્ય સેતુ એપ કાર્યકર્તાઓના માધ્યમથી ડાઉનલોડ કરવામાં આવી છે તેમજ કાર્યકર્તાઓ દ્વારા ૧૪ કરોડથી વધુની ધનરાશી PM CARESમાં જમા કરાવવામાં આવી છે.

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી સુરેન્દ્રકાકા, પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી નરહરિ અમીન, શ્રી રમીલાબેન બારા તથા અન્ય પ્રદેશ અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ સેવાકાર્ય પ્રસ્તુતિકરણનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

ભાજપા પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કેન્દ્રીય ભાજપાના 'સેવા હી સંગઠન' કાર્યક્રમ અંતર્ગત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ સમગ્ર દેશમાં કુલ ૯૦૭ જિલ્લા અને ૧૩૭૯૬ મંડલમાં ભાજપા સંગઠન દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં જે વિવિધ સેવાકીય કાર્યો થયા તેનું પ્રસ્તુતિકરણ કર્યું હતું. શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે, કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી તેમજ ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ભાજપાના દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી સુરેન્દ્રકાકા, પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી નરહરિ અમીન, શ્રી રમીલાબેન બારા તથા અન્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સોશ્યિલ મીડિયાના માધ્યમથી નિહાળ્યો હતો. શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, દિલ્હી, આસામ અને ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના સમયમાં ભાજપાના કાર્યકર્તાઓ અને સંગઠન દ્વારા થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પ્રસ્તુતિકરણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવ્યું હતું, જે અંગે પ્રતિક્રિયા આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓએ સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મકતા, સદભાવના, અને સંવાદ એમ 'સેવન-S' સાથે ખડે પગે રહી જનતાની સેવા કરી છે, ભાજપાના કાર્યકર્તા માટે સેવા જ ગંતવ્ય અને મંતવ્ય છે, 'જેની સેવા કરીએ તેનું સુખ જ અમારો સંતોષ' આ પ્રકારના સમભાવ અને મમભાવથી કાર્યકર્તાઓએ આ કઠિન સમયમાં 'સેવા હી સંગઠન' અભિયાન ચલાવ્યું છે અને દેશના પ્રત્યેક ભાજપના કાર્યકરને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, દેશની સરકારોએ પોતાની શક્તિ, સૂઝબૂજ અને સાધનો દ્વારા તેનો સામનો કર્યો છે .કેન્દ્રની ભાજપા સરકારે રાજ્યો સાથે સમન્વય સાધી કોરોનાની રોકથામ માટે વિવિધ નિર્ણયો કર્યા છે.તેવા સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે સમયસર લોકડાઉનનો નિર્ણય, આર્થિક વ્યવસ્થાઓને ફરી ધમધમતી કરવા રૂ.૨૦ લાખ કરોડનું વિશેષ પેકેજ, રૂપિયા ૧ લાખ ૭૦ હજાર કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, ખેડૂતો માટેની વિવિધ સહાય, દેશના ૮૦ કરોડથી વધુ નાગરિકોને આઠ મહિના સુધી દોઢ લાખ કરોડ રૂપિયાના મૂલ્યનું વિનામૂલ્યે અનાજ વિતરણ જેવા નિર્ણય કર્યા છે. આ તમામ પગલા લેવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા અને આ વર્ચ્યુઅલ બેઠકમાં ડિજિટલ માધ્યમથી જોડાયેલા રાજ્યોના સંગઠન એકમોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉભા થઈને 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપી સન્માન કર્યું હતું. શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીએ કોરોના મહામારીકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ સમગ્ર દેશમાં થયેલ સેવાકાર્ય અંગેનું વિગતવાર પ્રસ્તુતિકરણ કર્યું હતું.ભાજપાનો કાર્યકર રાજકીય નહીં, પણ સામાજિક કાર્યકર છે, તેવી છબી આજે સમાજમાં ઊભી થઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાં, મુશ્કેલીમાં ભાજપનો કાર્યકર પ્રજાની પડખે હંમેશા ઉભો રહ્યો છે. શ્રી નડ્ડાજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કુલ ૨૨ કરોડ થી વધુ ફુડ પેકેટ, ૫ કરોડથી વધુ રાશન કીટ, પાંચ કરોડથી વધુ ફેસકવરનું વિતરણ કરવામાં આવ્યું છે, ૫૮ લાખ જેટલા કાર્યકર્તાઓએ PM CARESમાં અનુદાન આપ્યું છે અને અન્ય લાખોને યથાશક્તિ ફાળો આપવા પ્રેરિત કર્યા છે, સાડા ચાર લાખથી વધુ કાર્યકર્તાઓએ બીમાર અને વૃધ્ધોની સેવાનું કાર્ય કર્યું છે. ગુજરાતમાં ભાજપા સંગઠન દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યો ની માહિતી આપતા શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧,૬૧,૧૯,૫૦૦ જેટલા ફૂડ પેકેટ, ૨૨ લાખ થી વધુ પરિવારને રાશન કીટ તેમજ ૬૦ લાખ ૩૨ હજારથી વધુ માસ્કનું ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે.તદઉપરાંત, ૨૧,૬૨,૦૦૦ આરોગ્ય સેતુ એપ કાર્યકર્તાઓના માધ્યમથી ડાઉનલોડ કરવામાં આવી છે તેમજ કાર્યકર્તાઓ દ્વારા ૧૪ કરોડથી વધુની ધનરાશી PM CARESમાં જમા કરાવવામાં આવી છે.