અંબાજી પંથક માં પડેલા વરસાદ થી આઠ નંબર વિસ્તાર રસ્તા ના ધોવાણ
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી 23 ઓગસ્ટ,હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ દિલ ખોલી ને વરસી રહ્યો છે ત્યારે અંબાજી પંથક માં પણ છેલ્લા બે ત્રણ દિવસ થી રાત્રી ના સમય વરસાદ વરસતા લોકો ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક સોસાયટીમાં માં રસ્તા ના ધોવાણ થયા છે તો ક્યાંક ઘૂંટણ સમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીઓ માં મુકાઈ રહ્યા છે એટલુંજ નહિ હાલ માં એક તરફ કોરોના ની મહામારી નો ભય છે ત્યાં પાણી ભરાયેલા વિસ્તાર વાળા લોકો ને પાણી જન્ય રોગ નો ભય સતાવી રહ્યો છે અંબાજી ની આઠ નંબર ની સોસાયટીમાં ભરાયેલા પાણી ન પગલે રાહદારી તો ઠીક પણ વાહન ચાલકો ને પણ મુશ્કેલી પડી રહી છે
જોકે સ્થાનિક લોકો અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનું કહી રોષ ઠાલવી રહ્યા છે દર ચોમાસા માં પાણી ભરાવાની આ વિકટ પરિસ્થિતિ અહીં સજાતી હોય છે ત્યારે આજે રોષે ભરાયેલા લોકો અંબાજી ના ઉપસરપંચ બળદેવભાઈ પટેલ ને ઘટના સ્થળે લાવી પરિસ્થિતિ નો ચિતાર રજૂ કર્યો હતો જેને લઈ ઉપ સરપંચ બળદેવભાઈ પટેલ એ આ પાણી નો પ્રશ્ન ચાર થી પાંચ દિવસ માં હલ કરી દેવા ખાત્રી આપી હતી અને હાલ માં જ્યાથી પાણી જતુ હતુ ત્યા બાંધકામ થઈ જતા આ પરીસ્થીતી સર્જી છે પણ તેનો નિકાલ થઈ જસે