ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

 અમદાવાદ, ૦૪ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા ખંડ વચ્ચે રેલ્વે ટ્રેક અવરોધિત કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પ્રસ્થાન કરતી કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે.

જેની વિગતો નીચે મુજબ છે: –

  • 04.11.2020 ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 02917, અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – રેવારી રૂટથી દોડશે.
  • 04.11.2020 ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર રૂટથી દોડશે.
  • 04.11.2020 ના રોજ પટનાથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 02948 પટના – અમદાવાદ સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર રૂટથી દોડશે.
  • તા. 04.11.2020 ના રોજ પલવલથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 00936 પલવલ – અમદાવાદ પાર્સલ સ્પેશિયલ રેવારી – જયપુર – પાલનપુર રૂટથી દોડશે.
  • 04.11.2020 ના રોજ ગુવાહાટીથી પ્રસ્થાન કરતી ટ્રેન નંબર 00950 ગુવાહાટી – ઓખા પાર્સલ સ્પેશિયલ સવાઈ માધોપુર – જયપુર – ભરતપુર રૂટથી દોડશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવા