જામનગરમાં કૂતરા બિલાડી અને લોકોના ટોળા વચ્ચે નકટો બતક અને તેના ૧૩ બચ્ચાનો જીવ ફસાયો.., જાણો પછી શું થયું…
જામનગરમાં કૂતરા બિલાડી અને લોકોના ટોળા વચ્ચે નકટો બતક અને તેના ૧૩ બચ્ચાનો જીવ ફસાયો.., જાણો પછી શું થયું….
રિપોર્ટ:જગત રાવલ
૨૮ ઓગસ્ટ,જામનગર પાસેના ગુલાબનગરમાં લોકોના ટોળા અને શેરી કૂતરા – બિલડાથી ત્રસ્ત થઈ ફસાયેલ 13 બચ્ચા સાથે એક માદા નક્ટો બતક (Comb Duck) છે, નિઃસહાય અવસ્થામાં છે તેવી જાણકારી જામનગરની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા લાખોટા નેચર કલબના સદસ્ય આનંદ પ્રજાપતિ ને મળી હતી
આ જાણકારીને આધારે લાખોટા નેચરલ ક્લબના સભ્ય મિલન કંટારિયા અને તેના પક્ષિપ્રેમી મિત્ર યુવરાજસિંહ સોઢા ગુલાબનગર વિસ્તારમાં દોડી ગયા હતાં.અને લોકો ના ટોળા ને દૂર કરી નિઃસહાય બતક અને તેના ૧૩ બચ્ચા ને બચાવવા કામગીરી હાથ ધરી હતી
અંતે ૧ કલાક ની જેહમત બાદ નકટો બતક અને તેના તમામ બચ્ચા ઓને રેસ્ક્યું કરીને આ પક્ષીને પ્રકૃતિના ખોળામાં જામનગરના લાખોટા તળાવ અંદર સલામત સ્થળે મુક્ત કર્યા હતા
જામનગરની જાણીતી અને પ્રકુતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ દ્વારા આ પ્રકારની પક્ષીઓને બચાવવા સહિતની કામગીરી અનેક વખત કરવામાં આવે છે