IMG 20201214 WA0007 1

જામનગર માં સરલાબેન ત્રિવેદી ભવન માં કસરત ના સાધનો નું લોકાર્પણ 

વોર્ડ નંબર ૫ ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવ્યા કસરતના સાધનો

અહેવાલ: જગત રાવલ

જામનગર, ૧૪ ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ફિટ ઇન્ડિયા સૂત્ર ને સાર્થક કરવા જામનગરમાં સરૂ સેકસન માર્ગ ઉપર ના સરલાબેન તત્રિવેદી ભવન ( પ્રધાનમંત્રી આવાસ યોજના ) માં તા. ૧૩/૧૨/૨૦૨૦ અને રવિવારે કસરત ના સાધનો લોકાર્પણ નો કાર્યક્રમ યોજાવા માં આવ્યો હતો.

 વોર્ડ નંબર ૫ ના ભાજપ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ ની ગ્રાન્ટ માંથી કસરત ના સાધનો ની ફાળવાણી કરવામાં આવી હતી.જેનું લોકાર્પણ ગત રવિવારે સરલાબેન ત્રિવેદી ભવન માં કરવા માં આવ્યું હતું.જેમાં મેયર હસમુખભાઈ જેઠવા ,શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા ,મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા, ગોપાલભાઈ સોરઠીયા અને વિજયસિંહ જેઠવા ,અને ભાજપના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તેમજ સરલાબેન ત્રિવેદી ભવન ના પ્રમુખ અનિરૂધસિંહ પરમાર વગરે ઉપસ્થિત રહ્યા હતા.અને તેઓ ના હસ્તે નવા કસરતો ના  સાધનો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

   અબાલ- વૃદ્ધ ને આરોગ્ય માં મદદરૂપ અલગ અલગ પ્રકારના કસરતના સાધનો મળતા વિસ્તારના રહેવાસી ઓએ કોર્પોરેટ ડિમ્પલબેન નો આભાર વ્યક્ત કર્યો હતો, આ તકે ઉપસ્થિત મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું  સંચાલન વિનોદ ભાઇ ભાવસાર એ કર્યું હતું. આ તકે ભવનના રહેવાસી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.