University vaccination

Corona Vaccination: ગુજરાત યુનિવર્સિટી પરીસરમાં કોરોના રસીકરણના પ્રથમ દિવસે 16 હજાર વિધાર્થી-કૉલેજ કર્મીઓએ વેક્સિનેશન કરાવ્યું

Corona Vaccination: સમગ્ર ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થયો છે

અમદાવાદ, ૨૩ જૂન: Corona Vaccination: સમગ્ર ગુજરાતમાં કોરોના રસીકરણ (Corona Vaccination) મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી પરીસરમાં શરૂ થયેલ વેક્સિનેશનના પ્રથમ દિવસે 16,000 વિધાર્થીઓએ વેક્સિનેશન કરાવ્યું હતુ. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.હિમાંશુ પંડ્યા વધુ વિગતે જણાવે છે કે, ગુજરાત યુનિવર્સિટી પરીસરમાં 38 કોરોના રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં દરરોજ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી વિધાર્થીઓ-કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે.

વિધાર્થીઓ અને કર્મચારીઓને સરળતાથી રસી મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વોક ઇન વેક્સિનેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વેક્સિનેશન અર્થે આવતા વિધાર્થી- કર્મચારીઓના વાહન પાર્કિંગની પણ સંપૂર્ણ વ્યવસ્થા સુપેરે કરાઇ છે. કોરોના રસીકરણ માટે 12 મેડિકલ ટીમને કામગીરી અર્થે તહેનાત કરવામાં આવી છે. આ સમગ્ર કોરોના રસીકરણ ડ્રાઇવ આવનાર એક અઠવાડિયા સુધી કાર્યરત રહેશે.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

સમગ્ર રસીકરણ કાર્યક્રમ સુપેરે થાય , વેક્સિનેટરને કોઇપણ પ્રકારની અગવડ પડે નહીં તે માટે વિવિધ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 338 કૉલેજના 3.45 લાખ વિધાર્થીઓને કોરોના રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. જે માટે તમામ વિધાર્થીઓના ગુગલ ફોર્મ ભરવામાં આવ્યા છે જેથી તેમનું વોક ઇન રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણ કરાવી શકાય.

આ પણ વાંચોઃ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર(iqbal kaskar)ની 25 કિલો ચરસ સાથે ઝડપાયો, મુંબઈ ખાતે NCB એ કરી ધરપકડ