Corona ward sayaji hospital

કોરોનાના દર્દીઓની(Corona patient) સંખ્યા વધતા સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં વધારવામાં આવી સતર્કતા

Corona patient

કોરોનાના દર્દીઓની (Corona patient) સંખ્યા વધતા સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં વધારવામાં આવી સુસજ્જતા અને સતર્કતા દર બે દિવસે ફિઝિકલ મિટિંગ કરી સ્થિતિ ની સમીક્ષા કરવામાં આવશે: સલાહકાર ડો.મીનુ પટેલ

વડોદરા, ૧૭ માર્ચ: વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના સારવાર સુવિધાના સલાહકાર ડો.મીનુ પટેલે જણાવ્યું કે કોરોનાના દર્દીઓની (Corona patient) સંખ્યામાં થયેલા વધારાને પગલે કોરોના વિભાગમાં સતર્કતા અને સુસજ્જતા વધારવામાં આવી છે. ટેલીફોનીક સંકલન સતત જાળવવામાં આવી રહ્યું છે.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા નવી પરિસ્થિતિના સંદર્ભમાં સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મંગળવારે કોર કમિટીની બેઠક પછી તેમણે આ પ્રકારની ફિઝિકલ મિટિંગ શક્ય હોય ત્યાં સુધી અઠવાડિયામાં બે થી ત્રણ વાર યોજી સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો.

બેઠકમાં ડૉ. મીનુ પટેલ દ્વારા કોવિડ-૧૯ ની સ્થિતિ અને કેસોની સંખ્યામાં વધારાની સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા ૧૫ દિવસ દરમિયાન કોરોનાના કેસમાં વધારો થયો હોવાથી, દર્દીઓના એડમિશન અને ઓ.પી.ડી. માં વધારો થયો છે. આ અંગેની જરૂરી વ્યવસ્થાઓ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ADVT Dental Titanium

સલાહકાર ડૉ મીનુ પટેલે જણાવ્યું કે કોવિડ-૧૯ ના વધતાં સંક્રમણને કારણે એસ.એસ.જી. હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં દર્દીઓની (Corona patient) સંખ્યામાં વધારાના પ્રમાણમાં તબીબોની સંખ્યા વધારવાનું આયોજન છે. તથા કોવિડ બિલ્ડિંગ માટે આઇ.સી.યુના બીજા, ચોથા અને પાંચમા માળને શરૂ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે ઓક્સિજન અને વેન્ટિલેટરના પોઇન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં ૨૨ બેડનું કોવિડ ટ્રાએજ પણ કાર્યરત છે જે શંકાસ્પદ દર્દીઓમાંથી કોવિડ પોઝિટિવને અલગ તારવીને જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં ખૂબ ઉપયોગી નિવડયું છે.

Whatsapp Join Banner Guj

હાલમાં ઇન્ટર્ન નથી એટલે તેમના વિકલ્પે ફિઝિયોથેરાપિ ના ૨૮ ઇન્ટર્ન ની,ફિઝિયો સિવાયના તબીબી કામોમાં સેવા લેવામાં આવશે. નર્સિંગ સ્ટાફ કેસોની ઘટતી સંખ્યા સાથે ઘટાડવામાં આવ્યો હતો જે કેસોમાં વધારાને અનુલક્ષીને કુલ સંખ્યા વધારીને ૯૦ કરવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય તો પણ વેન્ટિલેટર સતત ચાલુ રહે તેની તકેદારી રૂપે યુપીએસ બેકઅપ ની ચકાસણી કરાવવામાં આવી રહી છે.૫૦૦ કેવી ના બે અને ૧૨૫ કેવીનું એક એમ ત્રણ ઉપલબ્ધ જનરેટરની સર્વિસિંગ દ્વારા કાર્યરતતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ચોથા વર્ગના સેવકો ની સંખ્યામાં ૫૦ નો વધારો કરવાની સાથે સુરક્ષા સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં બે ઓકસીજન ટેન્ક કાર્યરત છે જેની ક્ષમતા ૪૦ હજાર લિટરની છે.એટલે હાલમાં ઓક્ષીજન પુરવઠ ની બાબતમાં કોઈ ચિંતા નથી.

સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે ૫૬૮ પથારીઓ ઉપલબ્ધ છે. ૬૦પથારીનું બીજા માળનું આઇસીયુ, ચોથા માળે ૧૦૫ બેડ, પાંચમાં માળે ૧૦૩ બેડ ઉપલબ્ધ છે.તમામ ઓકસીજન પોઇન્ટની કાર્યરતતા ચકાસી લેવાની સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો…राज्य में फूटा कोरोना (Corona) बम, नये 1,122 मामले और 3 लोगों की मौत