કર્મા ટ્રસ્ટ દ્વારા પાંજરામાં કેદ પક્ષીઓને મુક્ત કરાયા
નવા વર્ષે યોજાયેલા અનોખા કાર્યક્રમમાં રાજયમંત્રી રહ્યા ઉપસ્થિત
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૧ જાન્યુઆરી: જામનગરના કર્મા એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વાર નવા વર્ષના પ્રારંભે નવતર સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એ 44 પક્ષી ઓને આઝાદ કરવામાં આવ્યાજેથી તેઓ પોતાના આકાશ મા મુક્ત પણે વિહરી શકે. તેમજ ઈશ્વર ને એવી પ્રાર્થના કે માનવ જીવ ને પણ કોરોના ના આ કપરા કાળ માંથી મુક્તિ અને સ્વત્રંતા આપે.
આ વિચાર ને સંજોગો મા પરિવર્તિત કરવા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ મંત્રી પરેશભાઈ દોમડીયા,આર. પી. ઘાડીયા, અનીશભાઈ રામાણી નો સહયોગ મળ્યો હતો અને તેવો હાજર રહ્યા હતા તે બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો,તેમજ સર્વ ને નવા વરસ ની ખુબ ખુબ શુભકામનાઓ ઋષિતા સોની (પ્રમુખ ) પ્રાચી કિરકોલ (ઉપપ્રમુખ ) દ્વારા પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો….