Ahmedabad – Veraval: અમદાવાદ – વેરાવળ સ્પેશિયલ અમદાવાદના સ્થાને સાબરમતીથી ચાલશે
24 ફેબ્રુઆરીથી અમદાવાદ – વેરાવળ (Ahmedabad – Veraval) સ્પેશિયલ અમદાવાદના સ્થાને સાબરમતીથી ચાલશે
અમદાવાદ , ૨૩ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 09257 અમદાવાદ – વેરાવળ સ્પેશિયલ ટેકનિકલ કારણોસર 24 ફેબ્રુઆરી 2021 થી આગામી 60 દિવસ સુધી અમદાવાદના સ્થાને સાબરમતી સ્ટેશન (જેલ તરફ) થઇને ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09258 વેરાવળ – અમદાવાદ (Ahmedabad – Veraval) સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2021 થી ઉપરોક્ત સમયગાળા માટે સાબરમતી સ્ટેશન પર ટરમિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર આવશે નહીં. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખવાની વિનંતી છે.
આ પણ વાંચો…અમદાવાદથી શ્રી વૈષ્ણો દેવી (Vaishno Devi) કટરા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન