મુખ્યમંત્રીશ્રી શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આપ્યા આદેશ

ગાંધીનગર, ૦૬ઓગસ્ટ:મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છે
તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરી ની નિયુક્તિ કરી છે
મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસ માં કરીને જવાબદાર લોકો ની જવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે