અમદાવાદ – નવી દિલ્હી રાજધાની અને બિકાનેર – યશવંતપુર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર રોકાશે

whatsapp banner 1

અમદાવાદ, ૦૫ નવેમ્બર: યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ અને બિકાનેર – યશવંતપુર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર રોકાશે.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: – 

  • ટ્રેન નંબર 02957/02958 અમદાવાદ – નવી દિલ્હી – અમદાવાદ રાજધાની વિશેષ ટ્રેન તા. 08 નવેમ્બર 2020 ના રોજથી આગમી સૂચના સુધી  મહેસાણા સ્ટેશન પર રોકાશે.
  • ટ્રેન નંબર 06588/06587 બીકાનેર – યસવંતપુર – બિકાનેર સ્પેશિયલ આગામી તા .9 નવેમ્બર 2020 ના રોજથી આગમી સૂચના સુધી  મહેસાણા સ્ટેશન પર રોકાશે

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ