મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે

  • મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે નોંધાયો
  • કુલ સક્રિય કેસનું ભારણ 2.27 લાખ જે કુલ કેસમાં વધુ ઘટીને 2.19% થયું
  • યુકેમાં મળેલા નવા મ્યૂટન્ટ સ્ટ્રેઇનના કારણે કુલ 71 સંક્રમિત લોકો મળી આવ્યા

અમદાવાદ, ૦૬ જાન્યુઆરી: દેશમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 12 દિવસથી સળંગ દૈનિક ધોરણે નવા મૃત્યુની સંખ્યા 300થી ઓછી નોંધાઇ રહી છે.

Whatsapp Join Banner Guj

ત્વરિત ટ્રેસિંગ અને ટ્રેકિંગ, સઘન અને વ્યાપક પરીક્ષણ, પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલના ચુસ્ત પાલન સહિત અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિના કારણે મૃત્યુનું સ્તર નીચું લાવવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો દ્વારા અસરકારક અમલીકરણના કારણે દર્દીઓની વહેલી ઓળખ, ત્વરિત આઇસોલેશન અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેસનું સમયસર તબીબી વ્યવસ્થાપન શક્ય બન્યું છે.

ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હવે સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ માત્ર 2,27,546 કેસ રહ્યું છે. કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો વધુ ઘટીને 2.2%થી ઓછો (2.19%) થઇ ગયો છે.

દૈનિક ધોરણે નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતાં વધુ રહેતી હોવાથી કુલ સક્રિય કેસના ભારણમાં ચોખ્ખો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 21,314 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ કારણે છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,490 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી 20,000થી નીચે રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 18,088 દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1 કરોડના આંકડાની વધુ નજીક પહોંચી ગઇ છે અને આજે આ આંકડો 99,97,272 નોંધાયો છે. દૈનિક નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ રહેવાશી સાજા થવાનો દર વધીને 96.36% થઇ ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.48% કેસ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાજા થયા છે.

કેરળમાં એક દિવસમાં કોવિડમાંથી સૌથી વધુ 4,922 દર્દી સાજા થયા છે. ત્યારબાદ, સાજા થનારા સર્વાધિક દર્દીઓ મહારાષ્ટ્રમાં છે જ્યાં એક દિવસમાં વધુ 2,828 દર્દીની રિકવરી નોંધાઇ છે જ્યારે છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,651 દર્દી સાજા થયા છે.

આ પણ વાંચો…સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવા, કોંગ્રેસના મહાસચિવે કરી માંગણી