સ.સં. ૧૫૫૩ સતિષસિંહ સોલંકી

નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત એસ.આર.પી.ના ૬ જવાનો થયાં કોરોનામુક્ત

રાજકોટ ખાતે ફરજપરસ્ત વડોદરાના ૬ પોલીસ કોન્સ્ટેબલ કહે છે, “ઘરથી દૂર એક ઘર એટલે સમરસ કોવિડ કેર સેન્ટર”

પ્રાણાયામ – યોગ મારા માટે બન્યા પોઝીટીવિટીના ડેઇલી ડોઝ” : સતિષસિંહ સોલંકી

સવાર સાંજ ઉકાળાગરમ પાણીલીંબુ શરબત અને હળદરવાળું દૂધ આજે બની રહયા છેઅમારી દિનચર્યાનો અભિન્ન હિસ્સો : રમેશભાઈ વસાવા

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: કોરોનાના સામેના જંગમાં વિવિધ વિભાગો દ્વારા અનેક મોરચે લડત અપાઈ રહી છે. નાગરિકોના આરોગ્ય સુખાકારી માટે તેમની સુરક્ષામાં તૈનાત આરોગ્ય કર્મીઓની સાથે પોલીસ વિભાગના અધિકારી – કર્મચારીઓ પણ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ બની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે. આવા અનેક ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ પોતે કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બની કોરોનાને હરાવી પૂન: પોતાની ફરજ પર કાર્યરત બન્યા છે, જે પૈકી વડોદરાથી ૩ મહિના માટે રાજકોટ ખાતે બંદોબસ્ત માટે આવેલા ૬ કોન્સ્ટેબલ કોરોનાના સામેની જંગમાં જીતી ચૂક્યા છે. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર  બાદ હવે આ તમામ પોલીસ જવાનો પોતાના વતન વડોદરા પરત ફર્યા છે.

આ પોલીસ કર્મીઓ પૈકીના એક એવા કોન્સ્ટેબલ સતિષસિંહ સોલંકી પોતાનાં અનુભવો વર્ણવતાં જણાવે છે કે,” સૌપ્રથમ મેં ૧૧ તારીખે રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ ફરી ૧૪ તારીખે રિપોર્ટ કરાવતાં મને કોરોના પોઝિટિવ આવ્યો. ઘરથી દૂર અહીં ફરજ પર અને એમાં કોરોના થયો હવે શુ કરવું? પરંતુ બધાં નકારાત્મક વિચારોને એક જ ક્ષણમાં ખંખેરી હું સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થઈ ગયો. ત્યાં ગયા પછી લાગ્યું કે, હું જાણે મારા ઘરે જ પહોંચી ગયો છું. આરોગ્યકર્મીઓ દ્વારા પૂરતી સારસંભાળ અને યોગ્ય સારવાર-દવાઓ સાથે નિત્ય સવારે યોગ, પ્રાણાયામ, કસરત તેમજ પોઝિટિવ વિચારો મારા માટે  ટોનિક સાબિત થયા હતા. જેના પરિણામે આજે હું એકદમ સ્વસ્થ થઈ વડોદરા મારા પરિવાર પાસે પહોંચી ગયો છું.”

loading…

 કોરોનામુક્ત બનેલાં કોન્સ્ટેબલ રમેશભાઈ વસાવાએ કહ્યું હતું કે, ” અમારી દોડાદોડીવાળી નોકરીમાં કોઈ દિવસ અમે પગ વાળીને બેઠાં ન હોઈએ, ત્યારે કોરોના થતાં ૧૦ દિવસ સંપૂર્ણ આરામ કરવાનો વારો આવ્યો. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૧૦ દિવસ સારવાર દરમિયાન સવાર સાંજ ઉકાળા, ગરમ પાણી, લીંબુ શરબત અને હળદરવાળું દૂધ તો હવે જાણે અમારી દિનચર્યાનો અભિન્ન હિસ્સો બની ગયા છે.”

આ સાથે જ એસ.આર.પી. ના અન્ય ૪ જવાનો શીંગાજીભાઈ ખરાડી, ફતેહસિંહ રાઠવા, રણછોડભાઈ ચૌધરી તેમજ હિરેનભાઈ ગામીત પણ સમરસમાં અપાયેલ સારવારના કારણે આજે કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પહોંચ્યા છે. 

banner still guj7364930615183874293.