આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૫૨ નવા દર્દીઓ નોંધાયા ૧૦૧૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૨૭ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૧૦૪૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે.તેમજ ૦૭ દર્દીઓ અન્ય રાજ્યના એમ કુલ ૧૦૫૨.આજ રોજ ૧૦૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬,૬૭,૮૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૭૩,૨૯૯ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૭૧,૪૨૯ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૧૮૭૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૧ અને સ્ટેબલ ૧૩,૦૬૫ કુલ દર્દીઓ છે.