AAP: જામનગર આમ આદમી એ શું કરી મોટી જાહેરાત જાણો…
AAP: વિધાનસભા ની આગામી ચૂંટણીમાં જામનગરની તમામ બેઠકો લડશે આપ
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૫ જૂન: AAP: જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી જેમાં પક્ષના સંગઠન ના નવા હોદ્દેદારો ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં શહેર પ્રમુખપદે કરશનભાઈ કરમુર ની નિયુક્તિ કરવામાં આવી છે.
આ તકે આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આગામી વિધાનસભા ની ચૂંટણીમાં જામનગરની તમામ બેઠક પર આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારો ઉભા રાખશે, તેમજ સરકાર ભૂલો પ્રજા સમક્ષ રજુ કરવામાં આવશે..