અમદાવાદની 4 ટ્રેનો રદ (Train cancel) રહેશે ત્રણ ટ્રેન ડાયવર્ટ રૂટ ઉપર દોડશે
મુઝફ્ફરપુર સ્ટેશન પર રીમોડેલિંગ કામગીરી ને કારણે અમદાવાદની 4 ટ્રેનો રદ (Train cancel) રહેશે ત્રણ ટ્રેન ડાયવર્ટ રૂટ ઉપર દોડશે
અમદાવાદ , ૦૫ માર્ચ: પૂર્વ મધ્ય રેલ્વેના સોનપુર મંડળના મુઝફ્ફરપુર સ્ટેશન પર રીમોડેલિંગ કામગીરીને કારણે (train cancel) ટ્રેન નંબર 05270/05269 અમદાવાદ – મુઝફ્ફરપુર અને ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે તથા ટ્રેન નંબર 09452 ભાગલપુર – ગાંધીધામ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09483/09484 અમદાવાદ – બરૌની સ્પેશિયલ ડાયવર્ટ રૂટ ઉપર દોડશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
રદ થયેલી ટ્રેનો (train cancel)
- તારીખ 13 અને 20 માર્ચ 2021 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 05270 અમદાવાદ – મુઝફ્ફરપુર (સાપ્તાહિક) સ્પેશિયલ રદ રહેશે.
- તારીખ 11 અને 18 માર્ચ 2021 ના રોજ મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર – અમદાવાદ (સાપ્તાહિક) સ્પેશિયલ રદ રહેશે.
- તારીખ તારીખ 11 અને 12 માર્ચ 2021 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 09269 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ રદ રહેશે.
- તારીખ 14 અને 15 માર્ચ 2021 ના રોજ મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર – પોરબંદર સ્પેશિયલ રદ રહેશે.
ડાયવર્ટ ટ્રેન
- ટ્રેન નંબર 09452 ભાગલપુર – ગાંધીધામ સ્પેશિયલ 15 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ રૂટ બરૌની, શાહપુર પટોરી, હાજીપુર, છપરા, સીવાન, થાવે, કપ્તાનગંજ અને ગોરખપુર થઈને ચાલશે.
- ટ્રેન નંબર 09483 અમદાવાદ – બરૌની સ્પેશિયલ 08 માર્ચથી 18 માર્ચ 2021 સુધી દાનાપુર, પટના, મોકામા અને દિનકર વિલેજ સિમરિયા થઈને ચાલશે.
- ટ્રેન નંબર 09484 બરૌની સ્પેશિયલ 10 માર્ચથી 19 માર્ચ 2021 સુધી દિનકર ગામ સીમરિયા, મોકામા, પટણા અને દાનાપુરથી ચાલશે.
આ પણ વાંચો…જામનગર યાર્ડમાં લાલ મરચાં (Red chili) અને ધાણાની ધૂમ આવક