Payal rohatgi

Bengal issue: સોશિયલ મીડિયા પર આ અભિનેત્રી ના આંસુ વહી ગયા, વડાપ્રધાનને પૂછ્યો આ સવાલ..

Bengal issue: બંગાળમાં જે રીતે હિન્દુઓના ઘર પર હુમલા થઈ રહ્યા છે અને હિંદુઓ ની હત્યા થઇ રહી છે તે ચિંતાજનક બાબત છે.

મનોરંજન ડેસ્ક, ૦૬ મે: Bengal issue: અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં અનેક વખત વિવાદિત રહી છે. ભૂતકાળમાં ગાંધી પરિવાર બદલ એક વિડીયો બનાવવાના મામલે તેને જેલ પણ થઇ ચૂકી છે. જો કે હવે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આડા હાથે લીધા છે.

Whatsapp Join Banner Guj

અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરેલા વીડિયોમાં (Bengal issue) રડતાં રડતાં કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંગાળમાં હિંસા નહીં રોકી શકે? વીડિયોમાં તેના આંસુ થંભી નથી રહ્યા. તેણે કહ્યું કે બંગાળમાં જે રીતે હિન્દુઓના ઘર પર હુમલા થઈ રહ્યા છે અને હિંદુઓ ની હત્યા થઇ રહી છે તે ચિંતાજનક બાબત છે.

આ પણ વાંચો…JMC vaccination: જામનગરના યુવાઓમાં વેકસીનેશનને લઈને અનેરો ઉત્સાહ

Advertisement
ADVT Dental Titanium