સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની કૉલ ડિટેઈલથી થયો મોટો ખુલાસો
અહેવાલ: હેમાલી ભટ્ટ
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાનની કૉલ ડિટેલથી એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.દિશા સાલિયાને છ જૂનના રોજ માત્ર 3 લોકોને ફોન કર્યો હતો.જ્યારે 7 જૂનના રાત્રે 12 વાગ્યે બે મિનિટ સુધી ફોન પર વાત કરી હતી.7 જૂનના જ દિશાએ કુલ 36 ફોન કર્યા હતા.
જેમાથી એક ફોન રાત્રે 12 વાગ્યે અને 10 મિનિટે તેની મિત્ર એકતાને કર્યો હતો.જ્યાર બાદ સતત તેને વ્હોટસએપ પરથી કૉલ કર્યા હતા.આત્મહત્યા કર્યા બાદ પણ દિશાના ફોનનો સતત ઉપયોગ થયો હોવાનો પણ ખુલાસો થયો છે.મહત્વનું છે કે દિશા સાલિયાન આત્મહત્યા કેસને સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે. 8 જૂનના મલાડમાં 14માં માળેથી ઝંપલાવીને દિશાએ આપઘાત કર્યો હતો.