Jamnagar VHP2

આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજને અયોધ્યા પ્રસ્થાન પૂર્વે VHP ના હોદ્દેદાર અગ્રણીઓએ મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Jamnagar VHP 3

રિપોર્ટ: જગત રાવલ

જામનગર,૦૪ ઓગષ્ટ:રામ જન્મભૂમિ પર નિર્માણ થઇ રહેલા મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ આમંત્રિત છોટી કાશી એવા જામનગરના કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ,ખીજડા મંદિરના આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજને અયોધ્યા પ્રસ્થાન પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર અગ્રણીઓએ મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Jamnagar VHP

અયોધ્યા રામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ જામનગરથી આમંત્રિત પૂ.કૃષ્ણમણીજી મહારાજને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક વિભાગના પ્રવીણસિંહ કંચવા, જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, જિલ્લા સહ મંત્રી વિનુભાઈ રાઠોડ, જીતુભાઇ ગાલા, બજરંગદળના સંયોજક વિમલભાઈ જોશી સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી અયોધ્યા જતા પૂર્વે શ્રી 5 નવતનપુરીધામ ખાતે પરંપરાગત પળો આપી શાલ અને પુષ્પમાળાથી બહુમાન કરી આશીર્વાદ મેળવ્યા હતા.