સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ.
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ તેમજ સરદાર વંદના કરવામાં આવેલ.
સોમનાથ,૩૧ ઓક્ટોબર: ના દિવસે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ શ્રી સરદાર સાહેબ ની પ્રતિમાં ને ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી અર્પણ કરી સરદાર વંદના કરવામાં આવેલ. રાષ્ટ્રની એકતા – અખંડીતતા અને સુરક્ષા માટે ના શપથ લેવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી,પોલિસ વિભાગના અધિકારી,પોલિસ જવાનો પણ જોડાયા હતા.