Nari Shakti

મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી-૨૦૨૦

Nari Shakti

અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની વેબિનારના માધ્યમથી ઉજવણી

સુરત:શનિવાર: મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ‘મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’ની ઉજવણી વેબિનાર માધ્યમથી કરાઈ હતી. ઈ-માધ્યમથી સમગ્ર રાજ્યની અભયમ ટીમને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મહિલા સંરક્ષણ ગૃહના અધ્યક્ષ અને કોર્પોરેટર શ્રીમતી રૂપલબેન શાહ દ્વારા મહિલાઓએ વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતાની તકેદારી રાખવા અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. કોવિડ-૧૯ દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓને માસ્ક વિતરણ, સેનિટરી પેડના વિતરણ વિષે વિગતો આપી હતી.

ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ,સુરતના એસોસિએટ પ્રોફેસર ડો.પારૂલ વડગામાએ મહિલાઓમાં એનિમિયાની ઉણપ, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સર, ન્યુટ્રીશન, સલામત પ્રસુતિ, તરૂણીઓની માનસિક પરિસ્થિતિ વિષે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.

Nari Shakti 2

વેબિનારમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેરમાં અભયમ કાઉન્સેલર, મહિલા પોલીસ, લાભાર્થી મહિલાઓને વેબિનારના માધ્યમથી આવરી લેવામાં આવ્યા હતા. અભયમ હેલ્પલાઈનના ગુજરાત પ્રોજેક્ટ હેડશ્રી નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ડિજીટલ કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ફાલ્ગુનીબેન પટેલ, તુષાર બાવરવા અને ચંદ્રકાન્ત મકવાણાએ સુરત ટીમના સહયોગથી કર્યું હતું.