Amir Satya

જે મા બાપ ને ફક્ત દીકરીઓ જ હોય તેવા માતા પિતાને દીકરાની ઉણપ ને પુરી પાડવા માટે ના પ્રયાસો:અમીર સત્ય ફાઉન્ડેશન

અમીર સત્ય ફાઉન્ડેશન ની ગુજરાત રાજયની મીટીંગ નું વીડિયો કોન્ફરન્સ નુ આયોજન કરાયું.

Amir Satya

અંબાજી 15 જુલાઈ

અમીર સત્ય ફાઉન્ડેશન ની ગુજરાત રાજયની મીટીંગ નું વીડિયો કોન્ફરન્સ નાં માધ્યમ થી આયોજન કરાયું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી અમન લવલી મોન્ગા જી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી લવલી મોંગાજી, રાષ્ટ્રીય મીડિયા પ્રભારી શ્રી વરુણ રાજ ખુરાના, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ કુમારી નૂર લવલી મોંગા અને ગુજરાત ની નવનિયુક્ત થયેલ ટિમ જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી અંકિતભાઈ પંચાલ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે શ્રી કેતન ભાઈ જોષી, ગુજરાત પ્રદેશ મીડિયા અને આઇટી સેલ ઇન્ચાર્જ તરીકે શ્રી મહેન્દ્રભાઈ અગ્રવાલ, ગુજરાત પ્રદેશ સંયોજક તરીકે શ્રી હાર્દિકભાઈ પંચાલ, ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે શ્રી અંકિતભાઈ મકવાણા વિશ્વકર્મા ની વરણી કરવામાં આવી. અમીર સત્ય ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સારી સામાજિક સેવા કરવામાં આવી રહી છે

તેમાં ખાસ વિષય પર કામ થાય છે કે જે મા બાપ ને ફક્ત દીકરીઓ જ હોય તેવા માતા પિતાને દીકરાની ઉણપ ને પુરી પાડવા માટે ના પ્રયાસો કરવાનું ઉમદા કામ કોઈ પણ રીતે પૂરું કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી બનાસકાંઠા