15th August celebration 3

રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ વસાવા

15th August celebration 2

સુરત જિલ્લાકક્ષાના ૭૪મા સ્‍વાતંત્ર્યપર્વની સૂરત શહેર ખાતે ઉજવણી સંપન્નઃ

સ્‍વાતંત્ર્યપર્વ પ્રસંગે રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક ત્રિરંગાને સલામી આપતાવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા

રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ વસાવા

૭૪મા સ્વાતંત્ર્ય પર્વે ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના મંત્રને સાકાર કરવાનો નિર્ધાર

15th August celebration 3

સૂરતઃશનિવારઃ-  ૭૪માં સ્‍વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના અવસરે રાજ્યના વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સૂરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરીને રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક સમા ત્રિરંગાને સલામી આપી હતી. ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના મંત્રને સાકાર કરવાનો નિર્ધાર મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
          આ વેળાએ મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ તથા પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર જોડાયા હતા.
           આ અવસરે મંત્રીશ્રી વસાવાએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી-અનામી સૌ વીર શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી જણાવ્યું હતું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોના કારણે આપણને આઝાદી મળી છે. આજે ગુજરાતના સપૂત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે રામજન્મભૂમિમાં મંદિરનો શિલાન્યાસ, કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી તેમજ કોરોના મહામારી વચ્ચે ભારત સરકારે ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરી દેશવાસીઓમાં પુનઃઉત્સાહનો સંચાર કર્યો હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.  
            મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાર વર્ષના શાસનકાળ દરમિયાન અનેક જનહિતલક્ષી નિર્ણયો થકી ગુજરાતનો સર્વાંગી વિકાસ ઝડપી બન્યો છે. કોરોના સંક્રમિતોની સારવાર માટે કોવિડ બેડની ઉપલબ્ધતા, વેન્ટીલેટર્સ, ટેસ્ટીંગની સુનિયોજિત વ્યવસ્થાના પરિણામે દર્દીઓનો રિકવરી રેટ ૭૭ ટકાથી વધુ અને મૃત્યૃદર ઘટીને ૨.૨ ટકા થયો હોવાનું જણાવ્યું હતું.

15th August celebration 9


           રાજય સરકાર દ્વારા નાના દુકાનદારો અને પરંપરાગત વ્યવસાયિકોને પુનઃ પગભર કરવા રૂા.૧૪,૦૦૦ કરોડનું આત્મનિર્ભર પેકેજ, ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસિડી, કૃષિ-પશુપાલન માટે કરોડોની ફાળવણી કરી હોવાનું તેમણે કહ્યું હતું. મંત્રીશ્રી કહ્યું કે, આ સરકાર ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપતી સરકાર છે. કોઈ પણ પ્રિમિયમ ભર્યા વિના ખેડુતોને નુકશાન સામે વળતર મળશે. યુવાનોને રોજગારી આપવી તે સરકારની પ્રાથમિકતા રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ છેલ્લા ચાર વર્ષમાં એક લાખ યુવાનોને સરકારી નોકરી તથા ચાર હજાર ભરતી મેળા દ્વારા ૧૦ લાખથી વધુ યુવાનોને નોકરી મળી હોવાનું કહ્યું હતું.
        વનબંધુઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ‘પેસા’ એક્ટનો નક્કર અમલ કરીને વનબંધુઓને વધુ સ્વાવલંબી બનાવ્યા છે. વન અધિકારપત્રો દ્વારા જંગલ જમીનના હક્કો આદિવાસીઓને આપવામાં આવતા આદિવાસી પરિવારોમાં ખુશીની લહેર પ્રસરી છે.
          આ અવસરે મંત્રીશ્રી તથા અન્ય પદાધિકારી-અધિકારીઓના હસ્તે કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સ એવા ડોકટરશ્રીઓ, લેબ ટેકનિયશીયન, આશા વર્કર બહેનો, સફાઈ કામદારોને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા.  કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.
              આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેનપટેલ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, જિલ્લા પોલીસ વડા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.