IMG 3538 1 scaled

અમદાવાદ મંડળ પર 74 મા સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી

IMG 3538 1

૧૫ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર 74 મા સ્વતંત્રતા દિવસ કોરોના વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક અને ગરિમામય રીતે મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત સરકાર દ્વારા જારી નિર્દેશો નું પાલન કરતા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

IMG 3544

મુખ્ય કાર્યક્રમ અસારવા ખાતે મંડળ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ ધ્વજારોહણ અને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી સૈયદ સરફરાઝ અહમદ ના નેતૃત્વ માં રેલવે સુરક્ષા બળ અને સ્કાઉટ અને ગાઇડ પરેડ નું નિરીક્ષણ કર્યું હતું અને પરેડની સલામી લીધી હતી અને પશ્ચિમ રેલ્વે ના મહાપ્રબંધક શ્રી આલોક કંસલ નો સંદેશો વાંચ્યો.
આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ ની અધ્યક્ષતા શ્રીમતી પ્રીતિ ઝા એ તેમના કાર્યકારી સદસ્યો ની ઉપસ્થિત માં કોરોના મહમારી થી મૃત રેલ્વે કર્મચારીઓના પરિવારોને સંસ્થા દ્વારા સહાયતા રાશિ પ્રદાન કરીને આર્થિક સહાય પૂરી પાડી હતી.

મંડળના અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, વિરમગામ, સામાખ્યાલી, ભુજ અને મંડળ હોસ્પિટલ સાબરમતી, અમદાવાદ, કાંકરિયા, અને સાબરમતી કોચિંગ ડેપો, વટવા અને સાબરમતી ના ડીઝલ શેડ સહિત અન્ય સ્ટેશનો પર પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.