વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું
વડોદરા જિલ્લાના પાંચ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું
એન.આર.આઇ દાતા બન્યા વૃદ્ધોની ટેકન લાકડી
૨૧ સપ્ટેમ્બર:આણંદ જિલ્લાના ગોકુલ ધામ નાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે . જેના ભાગરૂપે તાજેતરમાં વૃદ્ધાશ્રમના વૃધ્ધો તથા નાર તારાપુરની આસપાસના વૃધ્ધોને વોકીંગ સ્ટીક ( ટેકણ લાકડી ) તથા વોંકરના વિતરણનો કાર્યક્રમ અમેરીકાના દાતાશ્રીઓના આર્થિક સહકારથી યોજવામાં આવ્યો હતો.
ગોકુલધામ નારના શ્રી સુખદેવ સ્વામીના આશીર્વાદ સાથે હરિકૃષ્ણ સ્વામી,જનમંગલ સ્વામીના હસ્તે વડોદરા જિલ્લાના દત્તપુરા – લીમડા, ઘાયજ, ઇટોલા, અપના ઘર અને સેવાતીર્થ ખાતે વૃદ્ધોને ટેકન લાકડી અને વોકરનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
અમેરીકા સ્થિત વર્જીનીયાબીચ સેવા મંડળના શૈલેષભાઈ પટેલ , મનનભાઈ શાહ , રૂદ્રાક્ષભાઈ પટેલ , દિપકભાઈ પટેલ , જૈનિશભાઈ પટેલ , મિતુલભાઈ પટેલ , હિરેનભાઈ પટેલ , ભાવેશભાઈ પટેલ , અતુલભાઈ પટેલ , અમીતભાઈ પટેલ , સંજયભાઈ પટેલ , મૌલીનભાઈ શાહ , ભુપેન્દ્રભાઈ તારાપુર ના આર્થિક સહકારથી આણંદ અને વડોદરા જિલ્લાના વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકન લાકડી અને વોકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ એન.આર.આઇ દાતા સાચે જ વૃદ્ધોની સેવા કરી તેમની ટેકન લાકડી બન્યા છે.