Nayara openning CM

Naira Energy: ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું

Naira Energy: રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે

  • મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ મે:
Naira Energy: તાઉ-તે વાવાઝોડા દ્વારા નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ પૂર્વવત બને એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલમુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયરા એનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર નું ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ લોકાર્પણ કર્યું હતું.

નાયરા ગ્રુપ (Naira Energy)ને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ સાવચેત રહેવાનું છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકાર દ્વારા પૂર્ણ તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.

Whatsapp Join Banner Guj

રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી. મુખ્ય મંત્રી એ જણાવ્યું કે PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ સકસન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે.
નાયરા એનર્જી (Naira Energy) દ્વારા આવા બે પ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર કોરોનાની બીજી લહેર સામે વધુ સક્ષમ અને સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ બન્યું છે. હાલ મ્યુકરમાઈકોસીસનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આ રોગની સારવાર માટે દર્દીઓ માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન દવાઓ મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ તાઉ-તે વાવાઝોડા ના સંદર્ભ માં કહ્યું કે આ વાવાઝોડા ને કારણે નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પરિસ્થતિ પૂર્વવત્ કરવાની તેમજ નુકસાની ના સર્વે નીં કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ થાળે પડે એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને લઇને જામનગર જિલ્લામાં સુંદર કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો પણ સતત જાગૃત રહે અને તમામ ગામો કોરોના મુક્ત બને તેવી તકેદારી રાખવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

Nayara

કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જામનગર જિલ્લાની જનતા વતી નાયરા ગ્રુપ (Naira Energy)ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોવિડ મહામારીના સમયમાં માનવતાની વ્હારે આવવા માટે નાયરા એનર્જી આગળ આવી છે તે અભિનંદનીય બાબત છે. જામનગરની જનતાને આ મહામારીના સમય માં નાયરા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાથી ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થશે. મારું ગામ કોરોના મુક્ત ગામ ના જન અભિયાન માં આ કોવિડ કેર સેન્ટર આ જિલ્લા માટે આરોગ્ય સેવા નું માધ્યમ બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. નાયરા ગ્રુપ માનવજાત જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે મદદરૂપ થવા આગળ આવ્યું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગૃપ ચોક્કસ પોતાનું નામ વધુ રોશન કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સાંસદ પૂનમબહેન માડમે આ વિસ્તાર માં નાયરા એનર્જી(Naira Energy)એ તાત્કાલિક મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ સાથેની કોવિડ હોસ્પિટલ જનસેવામાં સમર્પિત કરી એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાંસદ પૂનમબહેને જણાવ્યું હતું કે, દર્દીઓને કોવિડ કેર અન્વયે તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની નાનામાં નાની વ્યવસ્થા અહીં ઊભી કરી નાયરા ગૃપે આ મહામારીના સમયમાં લોકોની ચિંતા કરી છે. એક પરિવારની જેમ નાયરા ગ્રુપ આપણી સાથે મજબૂતીથી ઊભું છે ત્યારે આવનારા સમયમાં નાયરા ગ્રુપ આપણાં વિસ્તારનું મજબૂત અંગ બની જશે તેમ પણ સાંસદએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ભાઈ ચનિયારા, નાયરા ગ્રુપ (Naira Energy)ના સી.ઈ.ઓ. એલ્યોસ, રિફાઇનરી ડાયરેક્ટર પ્રસાદ પાનીકર, અગ્રણી લગધિર સિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપભાઈ ભોજાણી, પી.આર.જાડેજા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…covid pragnency: બીજા વેવમાં સગર્ભાઓને કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું, સફળ થઇ પ્રસૂતિ