Dharmendra Singh

જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરાયું

Dharmendra singh Khad muhurt jamnagar

અંદાજિત ૬૨.૨૩ લાખના ખર્ચે થશે હોલનું બાંધકામ શહેરીજનોને મળશે વધુ સુવિધા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૨ નવેમ્બર: જામનગર શહેરના વોર્ડ નં. ૧૧માં આજરોજ સિન્ડિકેટ સોસાયટીના પ્રાર્થના હોલનું અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજીત ૬૨.૨૩ લાખના ખર્ચે આ પ્રાર્થના હોલનું બાંધકામ પૂર્ણ થશે. આ પ્રાર્થના હોલ વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટરો જસરાજભાઈ પરમાર, પ્રફુલ્લાબા જાડેજા અને ભનજીભાઈ ખાણધરની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે.

Dharmendra singh Jamnagar Prarthna hall khad muhurt

આ પ્રસંગે પૂર્વ નગરસેવક મનસુખભાઈ ખાણધર, સતવારા સમાજ હરિદ્વારના પ્રમુખ માવજીભાઈ નકુમ તથા વિસ્તારના આગેવાનો-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.