Janshatabdi: 30 એપ્રિલથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ છ કોચ સાથે ચાલશે
અમદાવાદ , ૨૯ એપ્રિલ: Janshatabdi: પશ્ચિમ રેલ્વે દ્વારા 30 એપ્રિલ 2021 થી ટ્રેન નંબર 09247/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ અને 09249/09250 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોના અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા છે.
Janshatabdi: 30 એપ્રિલથી આ ટ્રેનોમાં એક એસી ચેર કાર, એક વિસ્ટાડોમ, એક એક્ઝિક્યુટિવ ચેર કાર તથા એક સેકંડ સીટિંગ કોચ અને પાવર કાર તથા લગેજ વાન સહિત કુલ 06 કોચ રહેશે. આ અગાઉ આ ટ્રેન 16 કોચ સાથે ચલાવવામાં આવતી હતી.
આ પણ વાંચો…Extra coach: અમદાવાદ થી પસાર થતી 03 જોડી વિશેષ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.