જામનગરમાં મ્યુ.કમીશ્નર બન્યા કડક જાણો શુ કર્યા આદેશ ..

Jamnagar Market 8

રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગર,૧૧ જુલાઈ ૨૦૨૦ શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું રહ્યું હોવાથી તેને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં વધુ પડતી ભીડ થતી હોય એવી ચા-નાસ્તાની ચાર દુકાનોને સીલ કરવાનો આદેશ અપાયો છે.

Jamnagar Market 5


જામનગરના હવાઈ ચોક ખંભાળિયા ગેટ નજીકના વિસ્તારમાં આવેલી બજરંગ હોટલ કે જ્યાં કોઈપણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને લોકોના ટોળેટોળા એકત્ર થયેલા જોવા મળે છે. ઉપરાંત અનેક લોકો માસ્ક વગર ઊભેલા જોવા મળે છે.

Jamnagar Market 2

જેથી ખુદ મ્યુનિ.કમિશનર સતીશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને બજરંગ હોટલ ને શીલ કરવાનો આદેશ આપ્યો છે. તે જ રીતે ઉપરોક્ત વિસ્તારમાં જ આવેલી ગણેશ ભજીયા હાઉસ, સાંઈ પાન કોર્નર અને કિરીટ હોટલ વગેરેને પણ સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે.

Jamnagar Market 6