vegetable 2

Farming: “લીલું પરાક્રમ” શિનોર તાલુકાના બાવળિયાના વનરાજસિંહે પહેલીવાર દડા જેવા ગોળ અને લાલચટ્ટક મૂળાનો પાક લીધો : રંગીન પાલક ઉછેરી

જાણવા જેવું

farming

Farming: “લીલું પરાક્રમ” શિનોર તાલુકાના બાવળિયાના વનરાજસિંહે પહેલીવાર દડા જેવા ગોળ અને લાલચટ્ટક મૂળાનો પાક લીધો : રંગીન પાલક ઉછેરી

આ ગૌપાલક ખેડૂત ગાય આધારિત સેન્દ્રીય (farming) ખેતીના હિમાયતી છે

farming

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૧૩ ફેબ્રુઆરી:
ખેતી (Farming) પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે.

શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ ખેતીમાં નિતનવા લીલા પરાક્રમો કરવા ટેવાયેલા છે.અન્ય ખેડૂતો જ્યારે (farming) ખેતીમાં ભરપૂર રાસાયણિક ખાતરો, જંતુનાશકો નો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા ફાંફાં મારે છે ત્યારે વનરાજસિંહ છેલ્લા ઘણાં સમય થી ગાયનું છાણ અને મૂત્રમાંથી ખાતર, જીવામૃત બનાવીને તેના આધારે શુદ્ધ અને સાત્વિક ખેતી કરે છે.અને તેમના આ સાત્વિક ખેત ઉત્પાદનોની આગવી બજાર માંગ ઊભી કરી છે.

Whatsapp Join Banner Guj

તેમણે વધુ એક લીલા પરાક્રમ રૂપે આ વર્ષે શાકભાજીની (farming) ખેતીમાં દડા જેવા ગોળ, બીટના આકારના અને લાલ ચટાક મૂળા દેશી બિયારણનો ઉપયોગ કરીને ઉગાડયા છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.

મૂળા બહુધા લાંબા અને સફેદ જોવા મળે છે.હાથ જેટલી લંબાઈ અને ખૂબ સારી જાડાઈ ધરાવતા મૂળા પણ ઘણાં ખેડૂતો ઉગાડે છે.વનરાજસિંહ એમાં પણ રતાશ પડતા ગુલાબી રંગના મૂળા ઉગાડતા જ હતા.આ વર્ષે અનોખું બિયારણ જડતા એમણે લાલ અને ગોળ મૂળાની (farming) ખેતી કરી.

farming

એ જ પ્રમાણે તેમણે ચાર જાતની વિવિધ રંગી પાલક પણ ઉગાડી છે.તો દેશી ટામેટાં, મરચાં, રીંગણ, ધાણા, પપૈયા, કેળા, કોબીનો અને એક પ્રયોગ તરીકે મોંઘી વિદેશી કુળની બ્રોકોલીનો શાકભાજી પાક લીધો.તેમના આ દેશી બિયારણમાંથી ઉગાડેલા ગૌકૃષીના શાકભાજી પાકો વડોદરાના શહેરી ગ્રાહકો હોંશે હોંશે ખરીદે છે .

farming

લોકો પશુપાલન છોડી રહ્યાં છે ત્યારે ઓર્ગેનિક ખેતીના હિમાયતી અને તેના માટે રાજ્ય સરકારનું સન્માન મેળવનારા આ ખેડૂત દેશી ઓલાદની ગાયો ઉછેરે છે. તેમણે ગૌપાલન અને સેન્દ્રીય ખેતીને એકબીજાના પૂરક બનાવી,બંને પોષણક્ષમ અને વળતર યુક્ત હોવાનું પુરવાર કર્યું છે.
તેમણે જણાવ્યું કે સહજ નામની સંસ્થાએ દેશી બીજને સાચવવા બીજ બેંક બનાવી છે.આ સંસ્થા પાસેથી તેઓ શાકભાજીના દેશી બીજ મેળવે છે.આવી સંસ્થાઓના સંપર્કો તેમને ખેતી સુધારવા અને સાત્વિક બનાવવામાં મદદરૂપ બને છે.ગોળ અને લાલ મૂળા ના દેશી બીજ એમને આ સંસ્થા પાસે થી જ મળ્યા હતા.

વનરાજસિંહ રસ ધરાવતા ખેડૂતોને ગૌ ઉછેર અને ગૌ દ્રવ્યો આધારિત સાત્વિક (farming) ખેતીનું માર્ગદર્શન આપે છે.તેમને કૃષિ મેળાઓના મંચો પરથી ખેડૂતોને ગાય આધારિત સેન્દ્રીય ખેતીની દિશા દર્શાવી છે.તેઓ કહે છે કે જે રીતે લોકો ફેમિલી ડોકટર રાખે છે એ રીતે હવે શુદ્ધ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનો મેળવવા પારિવારિક ખેડૂત ફેમિલી ફાર્મર રાખવાની જરૂર જણાય છે.

farming

કુદરત પાસે માનવ ને આપવા જેવું ઘણું છે.પરંતુ માણસ વધુ મેળવવા,ઝડપ થી મેળવવાની લાહ્યમાં રાહ ભૂલ્યો છે અને ઘણું ગુમાવ્યું છે.વનરાજસિંહ જેવા પ્રયોગશીલ ખેડૂતો કુદરતની મર્યાદા પાળતી ખેતી કરીને સ્વદેશી ખેતીની એ ગુમાવેલી અસ્મિતાને નવી ચેતના આપી રહ્યાં છે

આ પણ વાંચો…Health tips:રોજ ખાલી પેટે પીઓ આ પીણુ, રોગ થશે દૂર