Corona Patient

કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે તબીબો, પેરામેડિકલ સ્ટાફની સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો અર્પણ કરીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો

કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના રંગે રંગાયા

સુરત:શનિવાર: દેશને ૧૫મી ઓગસ્ટ,૧૯૪૭ના રોજ અંગ્રેજોથી આઝાદી મળી, પરંતુ હાલ કોરોના વૈશ્વિક મહામારીએ દેશને બાનમાં લીધો છે. પરંતુ જે રીતે અંગ્રેજો સામે લડીને આઝાદીના લડવૈયાઓએ દેશને સ્વતંત્ર કર્યો, એ જ રીતે કોરોનાથી દેશવાસીઓને મુક્ત કરવાં દેશના લાખો કોરોના યોદ્ધાઓ કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે, ત્યારે નવી સિવિલનાતબીબો,પેરામેડિકલ- નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડએ કોરોના દર્દીઓ સાથે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. કોવિડ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાગ્રસ્ત દર્દીઓને રેસિડેન્ટ ડોક્ટરો, નર્સ બહેનો અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદથી આવેલાં એમ.એસ.ડબ્લ્યુ. વિભાગના ૧૪ કાઉન્સેલરોની ટીમ અને અને કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો આપીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો હતો.

civil Corona Patient

કોવિડ વોર્ડમાં લાઉડ સ્પીકર દ્વારા દેશભક્તિના ગીતો ગુંજતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ ઘડીભર તેમના દુ:ખ દર્દ અને શારીરિક પીડાને ભૂલી દેશભક્તિના રંગે રંગાયા હતા. તબીબોની પ્રેરણાથી દર્દીઓનો જુસ્સો બુલંદ થયો હતો.

civil Corona Patient 3

તિરંગો હાથમાં પકડતા જ દર્દીઓમાં ઉમંગ-ઉત્સાહ અને ઉર્જાનો નવો જ સંચાર જોવા મળ્યો હતો. તિરંગાની સાથે કાઉન્સેલરોએ દર્દીઓના કપડા ઉપર ‘હું છું કોરોના વોરિયર’નું સ્ટીકર લગાવી હિંમત આપી કે, ‘આપણે બધા કોરોના વોરિયર્સ છીએ, આપણે સાથે મળીને કોરોનાને હરાવી કોરોનાથી સ્વતંત્ર થઈશું..’

સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર શ્રી મહેન્દ્ર પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને એડીશનલ ડીન ડો.ઋતંભરા મહેતા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. મહેશ વાડેલના માર્ગદર્શન અને પ્રેરણાથી સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયરોએ દર્દીઓ સાથે સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવા સાથે તેમને કોરોનાથી સ્વતંત્રતા આપવાનો કોલ આપ્યો હતો.