Kapoor potli

Corona protection: જામનગરમાં કોરોના ના રક્ષણ માટે કપૂર ની પોટલી નું વિતરણ કરાયું

Corona protection: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનો માટે ની અજમો કપૂર અને લવિંગ ની પોટલી નું વિતરણ કરવામાં આવ્યું હતું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૦ મે:
Corona protection: જામનગરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ નો આંક વધતો જાય છે ત્યારે જામનગરની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે અને શહેરની મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા કોરોના દર્દીઓ માં ઓક્સિજન લેવલ વધારવા માટે કપૂર ની પોટલી નું વિતરણ કરવામાં આવ્યું હતું

Whatsapp Join Banner Guj

જામનગરની મહિલાઓ દ્વારા સંચાલિત સામાજિક સંસ્થા ફાઉન્ડેશન દ્વારા (Corona protection) કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ નો ઓક્સિજન લેવલ વધારવા માટે જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનો માટે ની અજમો કપૂર અને લવિંગ ની પોટલી નું વિતરણ કરવામાં આવ્યું હતું

Kapoor Potali JMC

ક્રિશવ ફાઉન્ડેશનના વૈશાલીબેન ભટ્ટ, કેતનાબેન, રાજુબેન દવે ખુશ્બુબેન પ્રજ્ઞાબા અને કિંજલબેન દ્વારા અંદાજે ૫૦૦ જેટલી પોટલીઓ (Corona protection) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…Health Disaster: કોરોના મહામારીને સત્વરે ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી અને અસરગ્રસ્ત દર્દી તથા પરિવારોને આર્થિક સહાય આપવા વિરોધપક્ષના નેતાની મુખ્યમંત્રી સમક્ષ માંગણી..!

ADVT Dental Titanium