રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસો (corona case)ના સંદર્ભમાં કોર કમિટીની બેઠકમાં શું લેવાયો નિર્ણય, જાણો વિગત….
રાજ્યમાં આજે (Corona case) કોવિડ-૧૯ ના ૭૧પ કેસ નોંધાયા તથા ૪૯૫ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૧૨ માર્ચ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસો (corona case)ના સંદર્ભમાં કોર કમિટીની બેઠક માં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી રોગ નિયંત્રણ ના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદ ના મ્યુનિસિપલ કમિશનરો સાથે આ બેઠક દરમિયાન વીડિયો કોન્ફરન્સ યોજીને સંબંધિત શહેરોની (corona case) સ્થિતિની વિગતો મેળવી હતી.
આ બેઠકમાં મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, કમિશનર શ્રી જય પ્રકાશ શિવ હરે ,હારિત શુક્લા વગેરે વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા
આ પણ વાંચો…મધદરિયે બોટમાં આગ (Boat fire)ની ઘટના ભારતીય તટ રક્ષક દળની દિલધડક કામગીરી ક્રૂને બચાવી લીધા