Banaskanth collector anand Patel 3

કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, 05 સપ્ટેમ્બર:ગુજરાત કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે બનાસકાંઠા ની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાત લીધી હતી જ્યાં તેમને અંબાજી મંદિર એ દર્શને પહોંચતા બ્રહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી તેમનો સ્વાગત કરાયું હતું ને ત્યાર બાદ અમિત ચાવડા એ મા અંબા ના દર્શને મંદિર માં પહોંચ્યા હતા જ્યાં અમિત ચાવડા એ મંદિર માં દર્શન કરી માતાજી ની કપૂર આરતી કરી મા અંબા ના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ અમિત ચાવડા એ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બાંધવી પૂજારી ના પણ આશીર્વાદ લીધા હતા

Banaskanth collector anand Patel 3

જોકે અમિત ચાવડા આજે સંગઠન ની બાબત ને લઈ બનાસકાંઠા જિલ્લા ની મુલાકાત કરી હતી તેમજ લાંબા સમય થી અંબાજી મંદિર બંધ હતુ અને દર્શન ની ઈચ્છા પ્રબળ બનતા અમિત ચાવડા આજે માતાજી ના દર્શને અંબાજી પહોંચ્યા હતા અમિત ચાવડા એ માતાજી સમક્ષ કોરોના ના વિનાશ માટે પ્રાર્થના કરી હતી અને ખેડુતોને અતિવ્રુષ્ટી માં જે નુકસાની આવી ચે તેમાં તેમને રક્ષણ મલે તેવી પ્રાર્થના કરી હતી

જોકે તાજેતર માં જ ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા પોતાની રેલી સભા માં સોશ્યિલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવ્યા હતા તેને લઈને પણ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે કોરાનાનુ ,સંક્રમણ ન વધે તે આપણા સૌની જવાબદારી છે અને જો ગરીબ માણસ સામે કાર્યવાહી કરાતી હોય તો નેતાઓ દ્વારા જે સોશ્યિલ ડિસ્ટન્સ નો ભંગ કર્યો હોય તેની સામે સરકારે પગલાં લેવા જણાવ્યું હતું